કોલંબો: વન ડે અને ટી20 ફોર્મેટમાં વધારે ધ્યાન આપવા માટે શ્રીલંકા ક્રિકેટ ટીમનો વનડે કપ્તાન ઉપુલ તરંગાએ છ મહિના માટે ટેસ્ટ ક્રિકેટથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. એ હેઠળ પસંદકર્તા સનત જયસૂર્યાએ પાકિસ્તાન વિરુદ્ધ યૂએઇમાં રમાનારી સીરિઝ માટે જાહેર 25 સભ્યો ટેસ્ટ ટીમમાં ઉપુલ તરંગનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
તરંગાએ આ વર્ષે ટેસ્ટ ફોર્મેટમાં કેટલીક ખાસ સફળતા પ્રાપ્ત કરી નથી. એને કુલ 8 ટેસ્ટ મેચમાં માત્ર 430 રન બનાવ્યા છે. જો કે ભારત વિરુદ્ધ વન ડે સીરિઝમાં એમને 47.21ની સરેરાશથી બોલિંગ કરી.
પાકિસ્તાન વિરુદ્ધ સીરિઝ માટે જાહેર 25 સભ્યો ટેસ્ટ ટીમમાંથી પણ પસંદગીકર્તાઓ દ્વારા બેસ્ટ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને છેલ્લે કુલ 15 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવશે.
છેલ્લા બે વર્ષથી ખભાની ઇજાથી પરેશાન થઇ રહેલ ધમ્મિકા પ્રસાદને પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એમાં કુશલ સિલ્વા સદીરા સમરવિક્રમાના નામનો પણ સમાવેશ થાય છે.