બેંગ્લોર: રામ મંદિર મામલામાં મધ્યસ્થતાની ભૂમિકા ભજવવામાં રસ દાખવનારા આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર હવે કશ્મીરમાં અમન શાંતિ લાવવા માટે કામ કરવા માગે છે. શ્રીશ્રીએ કહ્યું છે કે કાશ્મીર ઘાટીમાં શાંતિ લાવવા માટે આર્ટ ઓફ લિવિંગે નાનું પગલું ભર્યું છે. તેમણે જલ્દી જ હુર્રિયત નેતાઓ સાથે મુલાકાત કરવાની વાત કરી છે.
શ્રીશ્રી રવિશંકરશહીદોના પરિવારના લોકો અને હથિયાર નાંખીને સામાન્ય જીવન જીવતાં લોકો પૂર્વ આતંકવાદીઓને સાથે લાવવા માટે બેંગ્લોરમાં આયોજદિત એક કાર્યક્રમ 'પેગામ એ મોહબ્બત' દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરી. રવિશંકરે કહ્યું કે એક મધ્યસ્થ તરીકે અમે હુર્રિયત નેતાઓને પણ મળશું.
શ્રીશ્રી એ કહ્યું કે જો દેશના કોઇ ભાગમાં કોઇ વ્યક્તિ પીડા સહન કરી રહ્યું છે તો આ રાષ્ટ્ર માટે એક ધબ્બો છે. જો કે એમને કહ્યું કે એ અલગ અલગ વિચારોથી વિચલિત થશે નહીં.