અયોધ્યાઃ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર તરફથી રામ મંદિર વિવાદ પર કરવામાં આવી રહેલ પહેલ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. રામ મંદિર મુદ્દે પક્ષકાર નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસે જણાવ્યું કે સમાધાન માટે સુન્ની વક્ફ બોર્ડને 1 કરોડ રૂપિયાથી લઇ 20 કરોડ રૂપિયા સુધી આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે શ્રી શ્રી રવિશંકર આજે જ અયોધ્યા પહોંચી રહ્યા છે અને આ દરમિયાન આવો ખુલાસો તેમના પ્રયાસોમાં મોટી અડચણ ઉભી કરી શકે છે. જો કે થોડી જ વારમાં નિર્મોહી અખાડો આ દાવાથી ફરી ગયો છે. મહંત દિનેન્દ્ર દાસે રૂપિયાની ઓફરને નકારતા કહ્યું કે આરોપ ખોટો છે.
બપોરે 3 કલાકે નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ અને અખાડાના પંચો સાથે મુલાકાત કરશે. સાંજે 4 કલાકે શ્રી શ્રી રવિશંકર એક પ્રેસ કોન્ફ્રન્સને સંબોધિત કરશે.