વડોદરા: મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના વિવાદસ્પદ નિવેદનનો મામલે મંત્રીએ પક્ષ વિરોધી કામ કરનારને ફટકારવાની મંજૂરી માંગી હતી. રાજેદ્ર ત્રિવેદીના મિત્ર વિજય પવારે સીએમને પત્ર લખ્યો હતો. સી એમ સહિત ડે.સી એમપ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખને પણ પત્ર લખ્યો હતો.
વિજય પવારે સુરક્ષાની માંગણી કરતો પત્ર લખ્યો હતો. વિજય પવારે મંત્રીના નિવેદનને વખોડ્યું હતું. વિજય પવાર અને રાજેદ્ર ત્રિવેદી બંને અંગત મિત્રો છે. દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં રાજેદ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું. કેસરીયા પેનલ બનાવવાની રાજેદ્ર ત્રિવેદીએ માંગ કરી હતી.