સારા સ્વાસ્થય માટે મસાલાઓનો પ્રયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. જોકે આ પાંચ એવા મસાલાઓ છે જેને તમારી ડાયટમાં જરૂરથી શામેલ કરવા જોઇએ.
જીરૂ:
જીરૂ ડાઇજેશન માટે સારું હોય છે અને આ ડાઇજેશનની જોડાયેલી તમામ સમસ્યાનું સમાધાન કરે છે. ખાસ કરીને ઉલ્ટીમાં ઘણું ફાયદાકારક છે. માનવામાં આવે છે કે જીરૂ સ્તનપાન કરાવતી માતાના બ્રેસ્ટ મિલ્કનું શુદ્ઘ કરે છે. તમે જીરૂને કેટલીય રીતે તમારા ખોરાકમાં લઇ શકો છો. તમે જીરૂ અને કોકોનેટની મિક્સ કરીને તમારી ડિશિઝની ગ્રેવી બનાવી શકો છે. જીરાંના પાણીને ઉકાળીને પી શકો છો. છાશ બનાવતી વખતે તમે તેમા શેકલા જીરાંનો પાવડર પણ નાખીને પી શકો છો.
હળદર:
હળદર થી તમારી ઇમ્યૂનિટી વધે છે અને ભૂખ પણ વધારે છે. હળદર થી ખરજવા-ફૂલ્લીની બિમારીઓને દૂર કરવા અને ધાને ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હૂફાળાં પાણીમાં હળદર મેળવીને પીવાથી ખાંસી અને ગળાની તકલીફ દૂર થાય છે. હળદર નો ઉપયોગ રંગ નીખરાવામાં અને અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવા માટે થાય છે.
અજમો:
એસિડિટીને કારણે જો પેટમાં દુ:ખાવો થાય તો અજમાથી રાહત મળે છે. કેટલાક લોકો પીરિયડ્સના દુ:ખાવાથી રાહત મેળવવા માટે પણ અજમાનો ઉપયોગ કરે છે. ગેસમાં રાહત મેળવવા માટે અજમાને પાણીમાં ઉકાળીને ઠડું કરી ને પીવું જોઇએ.
ઇલાયચી:
ઇલાયચી મીઠાઇઓ અને બિરાયાનીનો મહત્વનો ભાગ હોય છે. જેણે હાઇપર એસિડિટીથી રાહત મેળવવા માટે અને મોંઢામાંથી આવતી દુર્ગધને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ઇલાયચી ઉલ્ટીને રોકવા માટે કારગર છે. જો તમે દૂધમાં ઇલાયચી મેળવીને તમારા ડાયટ શામેલ કરી શકો છો.
આદું:
આદું પેટ માટે ફાયદાકારક હોય છે. જે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સકબજિયાત જેવી સમસ્યામાંથી રાહત અપાવે છે. આદુના પાવડરને બ્લેક કૉફીમાં નાખીને પીવાથીશરદી-ખાંસીમાંથી રાહત મેળવી શકાય છે. આદું વાળી ચા પીવાથી તમારું ડાઇઝેશન ઠીક થઇ જશે.