અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી પાટીદારો દ્વારા અનામત માટે આંદોલન કરવામાં આવે છે. ત્યારે હવે ફરી SPGના લાલજી પટેલે સરકારને આંદોલનની ચિમકી આપી છે.
મળતી માહિતી અનુસાર લાલજી પટેલે સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પુરા નહિ કરવામાં આવે તો ફરીથી આંદોલન કરવાની ચિમકી આપી છે. મહત્વનુ છે કે સરકાર દ્વારા પાટીદારો પરથી તમામ કેસ પાછા ખેંચવા માટે ખાતરી આપવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા હજી સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત સરકાર દ્વારા હજી સુધી અનામત માટે સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી નથી. જેથી હવે પાટીદારોમાં રોષ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે પાટીદાલ આંદોલન વખતે SPGના લાલજી પટેલે કહ્યું હતુ કે સરકારે અમારી પર ખોટા કેસ કર્યા છે અને અમારી પર ખોટી કલમો લગાડવામાં આવી છે. એ તમામ કેસ પાછા ખેંચવા માટે સરકારે ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી કોઇ કામગીરી થઇ નથી.