SPGની કોર કમિટીના સભ્યો અને PAASની બેઠક મળી હતી. બેઠક બાદ PAASના કન્વીનર દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે અનામત બાબતે કોંગ્રેસે રજૂ કરેલી ફોર્મ્યુલા બાબતે ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.
SPG સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે અનામતની ફોર્મ્યુલાની ખોડલધામના નરેશ પટેલ અને પરેશ ગજેરાને માહિતી આપવામાં આવી હતી.
સાથે ઉમિયાધામ સંસ્થાના ટ્રસ્ટીઓને પણ જાણ કરવામાં આવી હતી. તો આગામી દિવસોમાં લાલજી પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પાસ કમિટી અને કોંગ્રેસ વચ્ચે અનામતને લઈ બેઠક થઈ હતી જેમાં કોંગ્રેસે કેવી રીતે બંધારણ મુજબ અનામત આપી શકાય તે મુદ્દે પાસ કમિટી સાથે ચર્ચા કરી હતી અને્ વાયદો કર્યો હતો કે અમે અનામત અપાવીને રહીશું. કોંગ્રેસે જે ફોર્મ્યુલા પાલસ કમિટીને સમજાવી તે હવે પાસ કમિટી SPG અને ઉમિયાધામ સંસ્થાના ટ્રસ્ટીઓને સમજાવશે.
SPGના કોર કમિટીના સભ્યો સાથે PAASની બેઠક
બેઠક બાદ PAAS કન્વીનર દિનેશ બાંભણિયાનું નિવેદન
અનામત બાબતે કોંગ્રેસે રજૂ કરેલ ફોર્મ્યુલા અંગે SPG સાથે ચર્ચા
ખોડલધામના નરેશ પટેલ અને પરેશ ગજેરાને પણ માહિતી અપાઇ