ઘણાં લોકોને મોડી રાતે જમવાનો શોખ હોય છે તો વળી કેટલાક લોકોને જમ્યા પછી પણ મોડી રાતે કાંઇક ખાવાનું મન થાય છે. પરંતુ આવા લોકોની આ આદતો તેમને પરેશાનીમાં મુકી દે છે. ક્યારેક એવુ બને છે કે અમુક પ્રકારના ખોરાક લેવાથી પણ મેદસ્વીતા વધી જાય છે અને પછી અણધાર્યા રોગની શરીરમાં એન્ટ્રી થાય છે. પરંતુ રાત્રે અમુક સમય પછી અમુક પ્રકારના ના લેવા જોઇએ તે વધુ હિતાવહ છે.
તૈલી પદાર્થ માખણ :
રાતના સમયે શક્યા હોય ત્યાં સુધી માખણનો ખોરાકમાં ઉપયોગ ના કરવો જોઇએ. તેમાં ફેટનાં પ્રમાણને કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે અને શરીર બેડોળ બને છે. ખાસ કરીને ઘરે બનાવેલ માખણનો ઉપયોગ શક્ય હોય ત્યા સુધી રાત્રે ભોજનમાં ના કરવો જોઇએ.
પાઉં-બ્રેડ અને બેકરી આઇટમ :
રાત્રે મોડા-મોડા બેકરી આઇટમનો ઉપયોગ ના કરવો જોઇએ. જેમ કે મોડી રાત્રે બ્રેડપાઉં પફ જેવી વસ્તુ પચવામાં ભારે હોય છે. તેથી રાત્રે મોડા-મોડો જમતી વખતે આવી બેકરી આઇટમનો ઉપયોગ ટાળવો જોઇએ. આ બેકરી આઇટમમાં કાર્બોહાઇડ્રેડનું પ્રમાણ મોટા પોયે હોવાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે. અને મેદસ્વીતાપણું વધશે.
મેંદોમાંથી બનેલ વાનગી :
મેંદામા મોટા પ્રમાણમાં કેલેરી રહેલી હોય છે ત્યારે તેના કારણે ખાનારનું વજન વધી જાય છે. એટલે મોટા પ્રમાણમાં ચરબી પણ વધે છે. અને વજન વધારવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એવામાં રાતે ઊંઘતા પહેલા મેદાથી બનેલી બિસ્કિટપૂરી કે કોઈ પણ ચીજ ખાવાથી બચવું જોઈએ.
મલાઈ: રાત્રે સુતાં પહેલાં મલાઇનો ઉપયોગ કરવો ખુબ જ હાનીકારક છે. રાત્રે સુતાં પહેલા ચોક્કસ માત્રામાં દુધ પીવાથી ફાયદો થાય છે પરંતુ મલાઇક્રિમ કે દુધની તરનો ખોરાકમાં ઉપયોગ કરવો યોગ્ય બાબત નથી