મહેસાણા જીલ્લા ના પ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિર માં માગસર સુદ બીજની અનોખી પરંપરા નિભાવવા માં આવે છે.
જગત જનની માં બહુચરે પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ ની સમાજ સમક્ષ આબરૂ જાળવવા માગસર સુદ બીજ ના દિવસે રસ-રોટલી નું જમણ કરાવ્યું હતું. બહુચર માતાજી ના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની પરીક્ષા કરવા સમાજ ના લોકો એ શિયાળા ની ઋતુ માં રસ રોટલી નું જમણ માંગ્યું હતું.
પોતાના પરમ ભક્ત ની પરીક્ષા ને પૂર્ણ કરવા માં બહુચર વલ્લભ ભટ્ટ ના સ્વરૂપ માં આવી તમામ લોકો ને રસ રોટલી નું જમણ કરાવ્યું હતું.બહુચર માતાજી ના વર્ષો અગાઉ આપેલા પરચા ને આજે પણ તેના પરમ ભક્તો નિભાવી રહ્યા છે.
દર વર્ષે માગસર સુદ બીજ ના દિવસે મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓ ને રસ રોટલી નો પ્રસાદ આપવા માં આવે છે.બહુચર માતાજી ની પરમ કૃપા ને ભક્તો આજે પણ માગસર સુદ બીજા ના દિવસે રસ –રોટલી ના પ્રસાદ ને આશિર્વાદ સ્વરૂપે મેળવી ધન્યતા અનુભવે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા મંદિર ખાતે ગુજરાત સહિત અનેક સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ ભક્તો દર્શને આવી ચડે છે. માતાજીને જીભની પ્રતિકૃતિ ચડાવવાનો પણ રીવાજ છે. ઘણાં બધા પરિવારના કુળદેવી તરીકે પુજાતા બહુચરાજી માતાના મંદિરમાં પટાંગણમાં કેટલાય પરિવારો પોતાના દિકરાની બાબરી ઉતરાવવામાટે આવે છે.
આનંદના ગરબાના રચયિતા ભટ્ટ વલ્લભ જે સ્થેળે બેસીને આનંદના ગરબો રચ્યો તે સ્થળના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.