લોકોની સેવામાટે થઇ ને કેંદ્રસરકાર દ્વારા આગામી એક વર્ષ દરમિયાન દેશની બધી જ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટનું એક કાર્યાલય ખોલવાનું આયોજન કરી રહી છે. ભારત સરકારના વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી.કે સિંહે જણાવ્યું હતું કે આગામી સમયગાળામાં ભારત સરકાર આ કામ કરશે. ભારતની દરેક પોસ્ટઑફિસમાં પાસપોર્ટ કાર્યાલય ખુલવાથી દરેક નાગરિકને રાહત રહેશે. દુર-દુર સુધી હેરાન થવાની સમસ્યામાંથી ખાસ મુક્તિ મળશે.
સિંહે વધુ ઉલ્લેખ કરતા એવું પણ જણાવ્યું હતું કે ઘણા બધા સ્થળો પર પાસપોર્ટ માટેનું કાર્યાલય ના હોવાથી નાગરિકોને દૂર-દૂર સુધી જવું પડે છે. પરંતુ આ સુવિધા આવી જવાથી નાગરિકોની સમસ્યામાં સુધારો આવશે.
ઉલ્લેખનીય છે કે સ સ્વદેશી જાગરણ મંચના એક કાર્યક્રમમાં પહોંચેલા ભારત સરકારના વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી.કે સિંહે કહ્યુ કે કેન્દ્ર સરકારે પોતાના કાર્યકાળના 3 વર્ષ સમયબધ્ધતાની સાથે જનકલ્યાણયનાં કામ માટે કર્યા છે.
વધુમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતુ કે ભારત સરકારના વિદેશ મંત્રાલયે વહેલી તકે પહેલ કરીને વિદેશમાં ફસાયેલા લોકોને સ્વદેશ પરત લાવવાની ખાસ કાર્યવાહિ કરી હતી.