આજે ભારતના (અ)ભુતપુર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇનો 93 મો જન્મદિવસ છે. 25 ડિસેમ્બર 1924માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મેલાં અટલ બિહારી ભારતના 10 માં વડાપ્રધાન તરીકે સત્તા પર આવેલા અટલજીકુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે.
પિતા કવિ અને શિક્ષક હોવાને કારણે પુત્રને પણ વારસા સ્વરૂપે કવિતા મળી હતી. અટલજીની અનેક કવિતાઓ આજે ભારતીય સહિત વિશ્વના અસંખ્ય લોકોના હ્રદયમાં ચાહના ધરાવે છે.
સંસદ ભવન હોય કે કોઇ કવિ સંમેલન હોય અટલ બિહારી વાજપાઇ વક્તા કે મહેમાન તરીકે હાજર હોય ત્યારે વાતાવરણ પણ જાણે કવિતાના શબ્દો મુજબ બદલાઇ જવાનું પસંદ કરે છે. અટલજીની સરકાર વખતે તેમણે જે કુનેહ પુર્વક કાશ્મીર મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો તથા પંજાબ બોર્ડર પરથી પાકિસ્તાન જવા બસને લીલી ઝંડી આપીને બંન્ને રાષ્ટ્રો વચ્ચે લાગણીના તાર બાંધવા માંટે તેમણે કરે સફળ પ્રયાસને આજે પણ લોકો ગર્વથી યાદ કરે છે.
बेनकाब चेहरे हैं दाग बड़े गहरे हैं
टूटता तिलिस्म आज सच से भय खाता हूं
गीत नहीं गाता हूं
लगी कुछ ऐसी नज़र बिखरा शीशे सा शहर
अपनों के मेले में मीत नहीं पाता हूं
गीत नहीं गाता हूं
पीठ मे छुरी सा चांद राहू गया रेखा फांद
मुक्ति के क्षणों में बार बार बंध जाता हूं
गीत नहीं गाता हूं
તેમના કાર્યકાળમાં અજાતશત્રુ રહેલા અટલજીએ આપણી આસપાસ રહેલા કેટલાક લોકો પર કટાક્ષ આ કાવ્યના માધ્યમ થકી કર્યો છે. તેમણે અન્ય એક રચનામાં લખ્યુ છે કે
बाधाएं आती हैं आएं
घिरें प्रलय की घोर घटाएं
पावों के नीचे अंगारे
सिर पर बरसें यदि ज्वालाएं
निज हाथों में हंसते-हंसते
आग लगाकर जलना होगा.
कदम मिलाकर चलना होगा.
हास्य-रूदन में तूफानों में
अगर असंख्यक बलिदानों में
उद्यानों में वीरानों में
अपमानों में सम्मानों में
उन्नत मस्तक उभरा सीना
पीड़ाओं में पलना होगा.
कदम मिलाकर चलना होगा.
उजियारे में अंधकार में
कल कहार में बीच धार में
घोर घृणा में पूत प्यार में
क्षणिक जीत में दीर्घ हार में
जीवन के शत-शत आकर्षक
अरमानों को ढलना होगा.
कदम मिलाकर चलना होगा.
સંસદ ગૃહ હોય કે પછી કોઇ ભવ્ય સમારંભ હોય અટલજીના વ્યક્તિત્વની સરળતાને તેમના પ્રતિસ્પર્ધીઓ કે પછી વિરોધ પક્ષના નેતાઓ પણ વખાણતાપોખરણ માં કરેલ અણુધડાકાએ કેટલાય દેશોને આડકતરી રીતે ચેતવી દીધા હતા કે ભારતને તમે ઉણો ના આંકશો. તેમની નજીક રહેલા મિત્રો તેમને "બાપજી" નામથી સંબોધે છે. સંઘનું મેગેઝીન ચલાવવા માટે તેમણે પોતાનો અભ્યાસ અધુરો મુક્યો હતો. તેઓ સક્રિય રાજકારણમાં અત્યાર સુધીમાં એક જ વાર ચુંટણી હાર્યા છે.
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપાઇ વડાપ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી ભારતના પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ કરી હતી. 4 રાજ્યના સાંસદ બનવાનું શ્રેય એકમાત્ર અટલજીના ફાળે જાય છે. અટલ બિહારી વાજપાઇને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.
જીંદગીના 9 દાયકા વટાવી ચુકેલા અટલ અત્યારે દિલ્હી સ્થિત તેમના સ્વજનો સાથે સરકાર દ્વારા આપવામાં આવેલા બંગલામાં નિવાસ કરે છે. આજે તેમના જન્મદિને ભારતના અને વિશ્વના કેટલાય નેતાઓએ રૂબરૂ અથવા ઘરે પહોંચી તેમને શુભેચ્છા પાઠવી હતી. અંતે તેમના જ શબ્દોમાં તેમને શુભેચ્છા આપતા....
" હર 25 ડીસેમ્બર કો જીનેકી એક નઈ સીઢી ચઢતા હું નયે મોડ પર ઔરો સે કમ સ્વયં સે જ્યાદા લડતા હું "
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે. ( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)