બારામુલા: જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષાબળોએ જેશ એ મોહમ્મદના ઓપરેશન હેડ ખાલિદનો ઠાર કર્યો છે. ખાલિદ એક ઘરમાં છુપાઇને બેઠો હતો જ્યાં સેનાઓ તેનો ઠાર કરી દીધો. ખાલિદના પગમાં ગોળી વાગી હતી. મળતી જાણકારી અનુસાર પોલીસે ખાલિદને ઘેરી લીધો અને ગોળીબાર કર્યો.
સૂત્રોનું માનીએ તો ખાલિદ એક નાકા પર પોલીસ પાર્ટી પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ પોલીસે ગોળીબાર શરૂ કર્યો. એ ત્યાંથી ભાગીને ઘરમાં છુપાઇને બેઠો. ખાલિદ પાકિસ્તાનનો રહેવાસી હતો. એ A++ કેટેગરીનો આતંકી હતો.
આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય ફોજ દરરોજ 5 થી 6 આંતકીઓનો ઠાર કરી રહી છે. એમણે કહ્યું કે ભારત-પાતિસ્તાન સીમા પર પણ સીઝફાયરનું ઉલ્લંઘન થવા પર કરારા જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સેનાને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરે તો સામે જવાબ આપવામાં મોડું કરતાં નહીં.
નોંધનીય છે કે આતંકીઓને BSF ની 182મી બટાલિયનને ટાર્ગેટ બનાવીને આ હુમલો કર્યો હતો. આતંકી કેમ્પસની અંદર એક બિલ્ડીંગમાં ઘૂસી ગયા હતા. ઘણા કલાકો સુધી ચાલી રહેલા ઓપરેશન બાદ 3 આતંકવાદીઓનો ઠાર કરી દેવામાં આવ્યો.