નવી દિલ્હી: મહિલા આરક્ષણ બિલને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને ભલામણ કરી છે કે અત્યાર લોકસભામાં ભાજપ સરકાર બહુમતથી છે અને આ બહુમતનો ફાયદો ઊઠાવતા એ લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરાવી શકે છે.
જણાવી દઇએ કે સંસદમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાનું બિલ 2010માં પાસ કરાવી લેવામાં આવ્યું હતું. પરંતુ લોકસભામાં સમાજવાદી પાર્ટી સહિત કેટલીક પાર્ટીઓએ ભારે વિરોધ બાદ બિલ પાસ થઇ શક્યું નહતું.
મહિલા આરક્ષણ બિલને લઇને સમય સમય પર રાજકીય પાર્ટીઓ અવાજ ઊઠાવતી રહી છે આ પહેલા કેન્દ્રીય મંત્રી રહેલા વૈંકૈયા નાયૂડૂએ કહ્યું હતું કે ''મહિલા આરક્ષણનો મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિલમાં છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે સામાન્ય સહમતિથિ આ કાયદો પાસ થઇ જશે.''