રાજકોટઃ દેવભૂમિ દ્વારકા અને સોમનાથ વચ્ચે હવે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. આ માટે રાજકોટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. દિવાળી કે નવા વર્ષ નિમિત્તે આ સેવા શરૂ કરવામાં આવશે. જેમાં યાત્રીઓને માત્ર 30 મિનિટમાં દ્વારકાથી સોમનાથ પહોંચાડવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો પ્રારંભ કરાવશે. એર એમ્બ્યુલન્સ તરીકે પણ હેલિકોપ્ટર સેવા ઉપયોગી બની શકે છે.