ગીર સોમનાથના દરિયામાં મહાકાય વ્હેલ માછલી તણાઇ આવતા લોકોમાં કુતુહલ સર્જાયુ હતું. 30 ફૂટ વ્હેલ માછલી તણાઇ આવતા માછીમારો દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને વ્હેલ માછલીનું રેસ્કયુ હાથ ધરીને દરિયામાં છોડી દેવામાં આવી હતી. વ્હેલ માછલીને જોવા નવાબંદર ગામના લોકોના ટોળા ઉમટી પડયા હતા.