ભારતીય પરંપરા મુજબ જમીન પર બેસીને જમવાની પરંપરા અનાદીકાળથી ચાલી આવે છે. પરંતુ આધુનિકતા પાછળ આપણે દોટ મુકતા આપણી પુર્વજોએ આપેલ પરંપરા દિવસે-દિવસે ભુલાતી જાય છે. પરંતુ જમીન પર બેસીને જમવાથી અનેક ફાયદા થાય છે તે વાત સત્ય છે.
- જમીન પર સુખાશનમાં બેસવાથી પાચન ખુબ જ ઝડપી થાય છે. આ આસનમાં બેસવાથી પેટ સંબંધિત સમસ્યાનું નિરાકરણ આવે છે.
- જમતી વખતે પદ્માસનમાં બેસવાથી ડાયજસ્ટ સીસ્ટમ આરામથી કામ કરે છે. તેથી જમતી વખતે પદ્માસનમાં બેસવુ જોઇએ.
- જમીન પર બેસીને ભોજન લેવાથી માત્ર જમવામા જ ધ્યાન રહે છે પરિવાર સાથે એકદમ આનંદથી ભોજન લઇ શકાય છે.
- પરિવાર જનો એકસાથે બેસીને ભોજન લે તો અંદરો-અંદર એક બીજા વચ્ચે પ્રેમ વધે છે. જમીન પર બેસી જમવાથી પરિવાર વચ્ચે મનમેળ વધે છે.
- જમીન પર બેસી જમવાથી મન એકદમ શાંત રહે છે.
-જમીન પર બેસી ભોજન લેવાથી જડપથી ઘડપણ આવતું નથી અને કરોડરજ્જુ અને પીઠ સંબંધિત કોઇ સમસ્યા થતી નથી.
- એક સંશોધન મુજબ જમીન પર બેસીને જમવાથી કોઇપણ સહારો લીધા વગર ઉભા રહી શકાય છે. તથા નીરોગી અને લાંબુ જીવન જીવી શકાય છે. જમીન પર બેસીને જમવાને કારણે ક્યારેય શરીરમાં અશક્તિ આવતી નથી અને ચામડી લચી પડતી નથી.
- જમીન પર બેસીને જમવાથી થાય છે લોહીનું સર્ક્યુલેશન સારૂ રહે છે જેના કારણે પેટમાં પાચન ક્રિયા ઝડપથી થાય છે.