ગ્વાલિયર : શ્યોપુરમાં 16મી શતાબ્દીનાં માનેશ્વર મંદિરમાં સવારે બ્રહ્મ મુહર્તમાં પુજારીએ પટ ખોલ્યા તો ચોકી ગયા. મંદિરમાં શિવ મુર્તિની ઉપર એક સફેદ ફુલ અને શિવલિંગ સાથે લપેટાયેલાની કાંચળી જોવા મળી હતી. સ્થાનીક લોકોનું કહેવું છે કે અહીં શિવ રાત્રિ શ્રાવણનાં સોમવારે અને દિવાળીની આસપાસ ઘણી વખત નાગ શિવને કાંચળી સમર્પિત કરે છે.
શિવલિંગ પર સોમવારે નાગને કાંચળી સમર્પિત કરવાની ઘટના શ્યોપુર અને આસપાસ ચર્ચામાં રહ્યા. સવારે મંદિર ખોલતાની સાથે જ અહીં પુજા કરનારા પંડિતને આશરે 10 ફૂટ લાંબા નાગની કાંચળી જોવા મળે છે. માનપુર વિસ્તારમાં સીપ નદીનાં કિનારે ગૌડ રાજા માનસિંહનું ઐતિહાસિક ગાઢીનાં પાલકી મહેલમાં 16મી સદીનાં માનેશ્વર મહાદેવનું મંદિર બનેલું છે.
જેમાં સ્થાપિત સંગેમરમરનાં શિવલિંગની આસપાસ લપેટાયેલી કાંચળી નીચે સુધી લાંબી ફેલાયેલી છે. સાથે જ માનેશ્વર મહાદેવ શિવલિંગનાં શીશ પર એક સફેદ ફુલ પણ ચડેલું હતું. શિવલિંગનાં નાગની કાંચલી સમર્પણનાં સમાચાર સમગ્ર ગામમાં ફેલાઇ ગયા અને મંદિરમાં મંગળવાર સુધી લોકો દર્શન કરવા માટે આવતા રહ્યા.
માનપુર ગામમાં સીપ નદીનાં કિનારે ઐતિહાસિક ગઢીમાં આશરે 500 વર્ષ જુનું માનેશ્વર મહાદેવ મંદિરમાં સાંપ અને કાંચળી મળી હોવાની ઘટનાઓ પહેલા પ સામે આવતી રહી છે. ઘણી વખત શઇવરાત્રી શ્રાવણનાં સોમવારે અને નાગપંચમીની આસપાસ નાગની કાંચળી સમર્પિત કરે છે.