સુરત: ગાંધી સ્મુતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વિધાર્થીઓ અને કોર્પોરેટરોને જગ્યા ન મળતા અટવાયા હતા. ભવન ફૂલ થઇ જતાં વિધાર્થીઓ અને કોર્પોરેટરોને જગ્યા મળી નહતી. જેને લઇને વિધાર્થીઓને ગાંધી સ્મૃતિ ભવનની બહાર ઉભા રહેવાની ફરજ પડી હતી. ગાંધી સ્મુતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મુતિ ઇરાણીએ ભાગ લીધો હતો.
ગાંધી સ્મુતિ ભવનમાં આયોજીત કાર્યક્રમમાં સ્મૂતિ ઇરાની પહોંચ્યા. જેને લઇ ભવનની અંદર વિદ્યાર્થીઓ અને કોર્પોરેટરોને જગ્યા મળી ન હતી. જેથી તેઓને બહાર ઉભુ રહેવું પડ્યું હતું. આ વ્યવસ્થાના આયોજકો સામે ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો.