સમગ્ર ભારત અત્યારે ગણપતિ મહોત્સવની ઉજવણીમાં મગ્ન બન્યુ છે ત્યારે મુંબઇના પ્રભાદેવીમા આવેલ ભગવાન શ્રી ગણેશનું વિશ્વ પ્રસિધ્ધ સ્થળ ભાવિકોની આસ્થાનું પ્રતિક છે. આ જાણીતુ સ્થળ એટલે મુંબઇ સ્થિત સિધ્ધિ વિનાયક મંદિર.
19 નવેમ્બર 1801 માંલક્ષ્મણ વિઠુઅને દેવબાઈ પાટિલ દ્વારા મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરનું નિર્માણ કરાયું હતું. આ મંદિરમાં ગણપતિ જોવા માટે બધા ધર્મો અને જાતિના લોકો આવે છે આ સ્થળ મુંબઇનું અતિ સમૃધ્ધ સ્થળ તરીકે ઓળખાણ પામેલ છે.આ મંદિરની વાર્ષિક આવક 46 કરોડ જેટલી છે.
આ મંદિરના પ્રાંગણમા પ્રવેશતા જ એક શિખરબધ્ધ મંદિરમા ભગવાન શ્રી ગણેશ બિરાજમાન છે. મંદિરનું ગર્ભગૃહ સોનાથી આચ્છીદિત છે. ભગવાન ગણેશની મૂર્તિ ગર્ભસ્થાનમાં સ્થિત છે. તેના ઉપર જમણા હાથમાં ડાબા હાથમાં કમળ છે અને ડાબા હાથ જમણા હાથમાં છે અને નીચલા જમણામાં માળાના માળા અને મધથી ભરેલા બાઉલ છે. ગણપતિના બંને બાજુઓ પરબે કર્મકાંડો અને સિદ્ધિઓ છેજે સંપત્તિસાદાઈસફળતા અને તમામ ઈચ્છાઓનું પરિપૂર્ણતા દર્શાવે છે. માથા પર તેમના પિતા શિવ જેવી ત્રીજી આંખ છે અને સાપ હારની જગ્યાએ લપેટી છે. સિદ્ધિવિનાયકનું ઉત્ક્રાંતિ બે પગ ઊંચું છે અને તે બે ફુટ પહોળા કાળા ગોળ પથ્થરથી બનેલું છે.
આ અષ્ટકોણિય ગર્ભગૃહ ૧૦ ફૂટ પહોળું અને ૧૩ ફૂટ ઊંચું છે. ગર્ભગૃહના ચબુતરા પર સોનેરી શિખરવાળો ચાંદીનો સુંદર મંડપ છેજેમાં સિદ્ધિવિનાયક બિરાજમાન છે. ગર્ભગૃહમાં ભક્તો માટે જવા માટે ત્રણ દરવાજા છે જેના પર અષ્ટવિનાયકઅષ્ટલક્ષ્મી અને દશાવતારનાં ચિત્રો પણ અહિં દોરવામાં આવેલ છે.
આ મંદિરમા સૌ જ્ઞાતિના લોકો દર્શને આવે છે. મંદિરના ગર્ભ ગૃહની બહાર નીકળતા જ એક ભીંત પર એક બ્લેક બોર્ડ જેવુ આવેલ છે જ્યા દરેક શ્રધ્ધાળુઓ પોતાની મનોકોમના લખે છે. આ બોર્ડ પર લખવામા આવેલ શ્રધ્ધાળુઓની દરેક આશા ભગવાન ગણેશ પુરી કરે છે.
સામાન્ય રીતે આ મંદિરમાં દરેક મંગળવારના દિવસે વિશાળ સંખ્યામાં ભક્તો ગણપતિ દર્શન કરવા આવે છે અને ભગવાન તેમની આશ પૂર્ણ કરે છે. અહીં મંગળવારે એટલી ભીડ હોય છે કે લાઈનમાં ચાર-પાંચ કલાક ઊભા રહ્યા પછી દર્શન કરવા મળે છે. દરેક વર્ષે ગણપતિ પૂજા મહોત્સવ અહીં ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચૌદશના દિવસ સુધી ભવ્ય રીતે મનાવવામાં આવે છે. કદાચ ક્યારેક મુંબઇનગરી જવાનું થાય તો સિધ્ધિ વિનાયકના દર્શને અચુક જજો રિધ્ધિ- સિધ્ધિના દાતા તમારી મનોકામના અચુક પુરી કરશે.