મુંબઇ: શિવસેનાએ આજે પેટ્રોલના વધતા ભાવને લઇને એક વખત ફકીથી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. શિવસેનાએ પ્રહાર કરતાં પૂછ્યું કે દુનિયાભરમાં કાચા તેલના ભાવ નીચે ઊતર્યા હોવા છતાં દેશમાં એમના ભાવ શું બુલેટ ટ્રેન પરિયોજના માટે જાપાનથી લેવામાં આવેલી લોનનું વ્યાજ ચુકવવા માટે રાખવામાં આવ્યા છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સત્તારૂઢ રાજગના ઘટક શિવસેનાએ 2 દિવસ પહેલા કહ્યું હતું કે પેટ્રોલના વધારે ભાવ દેશમાં ખેડૂતોના આપઘાતનું મુખ્ય કારણ છે.
શિવસેનાના મુખ્યપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો સરકારમાં છે એ લોકા મોંઘવારીની વાત કરવા ઇચ્છતા નથી અને બીજાને પણ વાત કરવા દેવા ઇચ્છતા નથી. પેટ્રોલના ભાવ આસમાને હોવાને કારણે સામાન્ય માણસ ઝેલી રહ્યા છે. સરકારમાં બેઠેલા લોકો જો છેલ્લા ચાર મહિના દરમિયાન એના ભાવમાં 20 વખત વધારો કરે છે તે એ યોગ્ય નથી.
શિવસેનાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસનમાં કાચા તેલનો ભાવ 130 ડોલર પ્રતિ બેરલ હતો પરંતુ એમ છતાં પેટ્રોલ અને ડિઝલનો ભાલ ક્યારેય પણ ક્રમશ: 70 અને 53 રૂપિયા પ્રતિલીટરથી વધારે થયો નથી.