અમદાવાદઃ જાપાનના PM શિંઝો આબેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે PM મોદી અને આબે આજના કાર્યક્રમ અંગે જો વાત કરવામાં આવે તો. સવારે 9 વાગ્યે બંને PM સાબરમતીના એખલેટિક્સ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. ત્યાર બાદ સવારે 9:11 વાગ્યે સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે બૂલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. બૂલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કર્યા બાદ PM મોદી અને શિંઝો આબે 11:30 વાગ્યે દાડી કુટીરની મુલાકાત લેશે.
જે બાદ બપોરે 11:50 વાગ્યે શિંઝો આબે મહાત્મા મંદિરની મુલાકાત લેશે અને ત્યાર બાદ બંને દેશના ડેલિગેશન સાથે ચર્ચા કરશે. બપોરના 2 વાગ્યે PM મોદી અને આબે એકસાથે લંચ લેશે. અને ત્યાર બાદ બપોરે 3:45 વાગ્યે મહાત્મા મંદિર ખાતે જ એક્ઝિબીશન બુથની મુલાકાત લેશે.
જે બાદ બપોરે 4 વાગ્યાથી 5:40 વાગ્યા સુધી ભારત-જાપાન બિઝનેસ પ્લાનિંગ પર ચર્ચા કરવામાં આવશે. સાંજે 6:30 વાગ્યે જાપાન PM હોટેલ હયાતમાં પરત ફરશે. અને ત્યાર બાદ સાંજે 6:45 વાગ્યે સાયન્સ સિટી ખાતે CM સહિતના મંત્રીઓ સાથે ભોજન લેશે. અને રાત્રે 9:20 કલાકે શિંઝો આબે અમદાવાદ એરપોર્ટ પરથી ટોકિયો જવા રવાના થશે.
સવારે 9 કલાકે
સાબરમતીના એથલેટિક્સ ગ્રાઉન્ડની મુલાકાત
-------------------------
સવારે 9:11 કલાકે
બૂલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત
------------------
સવારે 11:30 કલાકે
દાંડી કુટીરની મુલાકાત લેશે
---------------------
બપોરે 11:50 કલાકે
શિંઝો આબે મહાત્મા મંદિરની લેશે મુલાકાત
બન્ને દેશમાં ડેલિગેશન સાથે કરશે ચર્ચા
-------------------
બપોરે 2 કલાકે
બન્ને મહાનુભાવો સાથે લંચ લેશે
----------------------
બપોરે 3:45 કલાકે
મહાત્મા મંદિર ખાતે એક્ઝિબીશન બુથની મુલાકાત
----------------
બપોરે 4થી 5:40 કલાક સુધી
ભારત-જાપાન બિઝનેસ પ્લાશનગ પર થશે ચર્ચા
-----------------
સાંજે 6:30 કલાકે
શિંઝો આબે હોટલ હયાતમાં પરત ફરશે
---------------
સાંજે 6:45થી 8:15 કલાક સુધી
PM મોદી સાયન્સ સિટી ખાતે ભોજન લેશે
CM સહિતના મંત્રીઓ સાથે લેશે ભોજન
--------------------
રાત્રે 9:20 કલાકે
શિંઝો આબે અમદાવાદ એરપોર્ટથી ટોકિયો જવા રવાના થશે