નાપાક પાકિસ્તાનની જેમ ચીની ડ્રેગન પણ પોતાની તુચ્છ હરકતો બંધ કરે તેવું માનવું અશક્ય છે. હજૂ તો સત્તાનો તાજ ફરી વખત સંભાળ્યો જ છે ત્યાં ચીની રાષ્ટ્રપતિએ શી જીનપીગે યુદ્ધનો રાગ આલાપ્યો છે અને પોતાના સૈન્યને કોઈપણ કાળે યુદ્ધ માટે તૈયાર રહેવા પણ જણાવ્યું છે. જોકે બીજી તરફ ભારતને છે શાંતિની ઉમ્મીદ.
ડ્રેગને વધુ એકવાર ઓક્યું ઝેર
ગાદી સંભાળતા જ વગાડયા યુદ્ધના ભણકાર
ડોકલામ વિવાદ સમેટાયાની સાથે જ ભારત અને ચીનના સંબંધોમાં આવેલી સ્થિરતા આવી છે. પરંતુ ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગના તાજુ નિવેદન ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોતાનો બીજો કાર્યકાળ સંભાળતાની સાથે જ જીનપીંગે પોતાની ઓકાત ઓકતા યુદ્ધનો રાગ આલાપ્યો છે. જીનપીંગે ચીની સેનાને કોણપણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવા માટેનું સુચન આપ્યું છે. જીનપીંગે સૌથી મોટી પોતાની સેનાને સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે ઈમાનદાર રહેવા અને યુદ્ધ જીતવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહ્યું છે.
67 વર્ષીય શી જિનપીંગે ગુરુવારના પોતાના બીજા કાર્યકાળની શરૂઆત કરી. આ દરમિયાન તમણે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી. આ દરમિયાન શી જિનપીંગે ચીની સેનાને કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવાની સૂચના આપી. તો સેનાના અધિકારીઓને પાર્ટી પ્રત્યે વફાદાર રહેવા માટે પણ કહ્યું. સાથે જ યુદ્ધમાં જંગ જીતવાની દિશા તરફ ધ્યાન કેન્દ્રીત કરવા અને નિયમોનું પાલન કરવા માટે પણ સૂચન કર્યું છે.
યુદ્ધમાં જંગ જીતવાની દિશા તરફ ધ્યાન કેન્દ્રીત કરે સેના
જોકે શી જિનશપગના આ નિવેદન બાદ ભારતે પોતાનો જવાબ રજૂ કર્યો છે. ભારતે પોતાની પ્રતિક્રિયા આપતા આસા વ્યક્ત કરી છે કે જિનશપગના નવા કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા કાયમ રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ શી જિનશપગને કોંગ્રેસ શરૂ થતા પહેલા જ સફળ આયોજન માટે શુભકામના મોકલી હતી.
મહત્વનું છે કે ડોકલામ વિવાદ ઠંડો પડયા બાદ ભારત તરફથી આ પહેલું નિવેદન છે. ત્યારે આશા રાખીએ છીએ કે પાર્ટી કોંગ્રેસની દિશા અને નીતિ દ્વિપક્ષીય સંબંધોની સાથે-સાથે સ્થિરતા અને શાંતિને પણ આગળ વધારશે. ત્યારે જોવું એ રહ્યું કે ભારતની શાંતિ જાળવી રાખવાની નીતિ કેટલી કામ લાગે છે કે પછી ડ્રેગન પોતાની ઔકાત સામે મુકે છે.