આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમા રાખી જનવિકલ્પ ના નવા પક્ષ સાથે શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ત્યારે આજે તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ સર્કિટ હાઉસ ખાતે શંકરસિંહ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી તેમને જણાવ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે બાપુ નો જનવિકલ્પ પક્ષ કૉંગ્રેસ ને નુકશાન પહોંચાડવા માટે રચાયો છે પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ 1990 થી વિધાનસભા ની ચૂંટણી મા હારતી આવે છે જેનો સીધો મતલબ છે કે ત્રીજો પક્ષ હોય કે ન હોય કૉંગ્રેસ હારે જ છે ત્યારે ભાજપ પ્રત્યે લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમયે લોકો જ પોતાના ઉમેદવાર ને નક્કી કરી જનવિકલ્પ માટે ચૂંટી અને પોતાના પ્રશ્નો ઝડપથી દૂર કરે.
બાપુ એ જણાવ્યું હતું કે હાલની ભાજપ ની સરકાર આવતીકાલ ના વાયદા અત્યાર થી કરે છે મગફળી ના ભાવ 900 નહીં પરંતુ 1200 હોવા જોઈએ.. વહીવટી વિકેન્દ્રીકરણ મા બાપુ વિશ્વાસ રાખે છે તેવું આ તકે કહ્યું હતું. ઉપરાંત બાપુ મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ મા કેબિનેટ લાવ્યા હતા સૌરાષ્ટ્ર કચ્છ ના પ્રશ્નો ગાંધીનગર ના બદલે રાજકોટ માજ હલ થાય.. આગામી વિધાનસભામાં જનવિકલ્પ 182 સીટ પર મહિલા યુવાનો અને શિક્ષિત વર્ગ ને ઉમેદવાર તરીકે પસંદ કરશે.. અને હાલ બાપુ પોતાના નવા પક્ષ ને જીતાડવા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આજ રોજ તેઓ રાજકોટ થી કચ્છ માતાના મઢ આશાપુરા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે..