ગાંધીનગર: વસંત વગડો ખાતે શંકરસિંહ વાઘેલા સાથે તેમના સમર્થકોની એક મિટીંગ મળી હતી. જે બાદ શંકરશસહ વાઘેલાએ જણાવ્યું કે સમર્થકોએ મિટીંગ બોલાવતા હાજર રહ્યો હતો. બાપુએ કહ્યું કે રાજકીય સંન્યાસ ન લેવાની સમર્થકોએ માગણી કરી છે. જેથી હું લોકોની વચ્ચે ઉભો રહીશ. જોકે બાપુએ ત્રીજો પક્ષ રચવાની કોઈ વાત ન થઈ હોવાનું જણાવ્યું છે.
ધારાસભ્યના પદ પર થી રાજીનામુ આપ્યું બાદ આજે બાપુ પ્રથમ વાર તેમના સમર્થકોને નિવાસ સ્થાન વસંત વગડે મળ્યા હતા. સમર્થકોએ બાપુ પાસે જાહેર જીવનમાં રહેવા માટે માંગ કરી છે. જે અંગેનું સંગઠન બનાવી તેની રૂપરેખા આગામી સમયે તૈયાર કરવામાં આવશે.
બેરોજગારી શિક્ષણ વ્યાપાર અને ખેડૂતોને પડતી સમશ્યાઓ અને તેમના પ્રશ્નોને વાચા આપવા માટે બાપુ એ જાહેર જીવન છોડવું ના જોઈએ અને લોકોના પ્રશ્નો માટે એક સંગઠન બનાવવું જોઈએ એવો પ્રસ્તાવ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગાડો ખાતે તેમના ટેકેદારો દ્વારા બાપુની હાજરીમાં કરવામાં આવ્યો. બાપુએ ટેકેદારોની લાગણીઓને માન આપતા જાહેર જીવનમાં લોકોના પ્રશ્નો માટે લડતા રહેવા માટે આગામી સમયે તોજી રણનીતિ તૈયાર કરવામાં આવશે એવું જણાવીને નવું સંગઠન ઉભું કરવાને અનુમોદન આપી દીધું હતું.
લોકનેતા ક્યારેય નિવૃત નથી થતા એ હિસાબે બાપુ પણ જાહેર જીવનમાંથી નિવૃત થાય એ અશક્ય લાગી રહ્યું હતું. બાપુ પોતે પણ અગાઉ એવું નિવેદન આપી ચુક્યા છે કે તેઓ રાજકીય પાર્ટીના બંધનમાંથી નિવૃત થઇ રહ્યા છે જાહેર જીવનમાંથી નહિ. હાલની સ્થિતિમાં બાપુ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ નથી પરંતુ તેમના ટેકેદારોને ૧૮૨ વિધાનસભાની બેઠકોમાં ખંત થી કામ કરવા કહીને અજણીતી તરફ ઈશારો કરી રહ્યા છે તો બીજી તરફ તેમનું સંગઠન ત્રીજા મોરચાનું કામ કરશે કે કેમ તે અંગે મૌન પણ સેવી રહ્યા છે. જે ફરી એકવાર તેમની બિટ્વીન ઘી લાઈન તરફ ઈશારો કરી રહ્યો છે.
બાપુ તેમના ટેકેદારોને મળતા તો હોય જ છે પરંતુ આ મુલાકાત થોડી જુદા પ્રકારની હતી કારણ કે આજની મુલાકાત બાદ ગુજરાતભરમાં ઉભું થઇ શકે એવું મજબૂત સંગઠન તૈયાર કરવાની ભૂમિકા આજે તૈયાર કરવામાં આવી છે. જે બિનરાજકીય હોવાનું જણાવી રહ્યું છે પરંતુ બાપુના જાહેર જીવનને જોતા આ સંગઠન બિન રાજકીય હોવું અશક્ય જણાઈ રહ્યું છે.