કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાએ જનવિકલ્પને સમર્થન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગુજરાતની પ્રજા ત્રિજો વિકલ્પ ઈચ્છી રહી છે અને હું આ જનવિકલ્પને સમર્થન આપું છું. હું કોઈપણ વ્યક્તિગત ટીકા નહીં કરું પરંતુ પાર્ટીઓની કામગીરીની ટીકા કરવામાં ચૂકીશ નહીં.
આ સાથે બાપુએ કહ્યું કે સર્વે પ્રમાણે લોકો ભાજપ અને કોંગ્રેસથી કંટાળ્યા છે. કંટાળેલા લોકો મને લીડર તરીકે જોવે છે. તેમને વધુમાં જણાવ્યું કે જનસંકલ્પ એ પક્ષ નહીં પરંતુ એક મોરચો છે. દેશના રાજકીય પક્ષો હાઈકમાન્ડ પર ચાલે છે. મેં 20 વર્ષ પહેલા કહ્યું હતું કે પ્રજા મારી હાઈકમાન્ડ છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે બન્ને પાર્ટીમાં ફિક્સિંગ ચાલી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં બન્ને પક્ષોએ ફિક્સિંગ કર્યું પરંતુ જો રાજ્યસભાની ચૂંટણી મેં હાથમાં લીધી હોત તો પરિણામ અલગ હોત.
પાર્ટ 1 - શંકરસિંહ ત્રીજો મોર્ચો
કોગ્રેસ છોડ્યા બાદ શંકરસિંહ વાધેલા ફરી સક્રિય રાજનીતિમાં
વાઘેલાએ ત્રીજા વિકલ્પ તરીકે જન વિકલ્પ પાર્ટી જાહેર કરી