ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઠ રાજકારણી શંકરસિંહ વાઘેલા આજથી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. જન વિકલ્પ મોરચના માટે શંકરસિંહ વાઘેલા પ્રચાર શરૂ કર્યો છે. શંકરસિંહ વાસણીયા મહાદેવના દર્શન કરી સમગ્ર રાજ્યમાં પ્રચાર શરૂ કર્યો છે. તો આજે અંબાજી અને ઉંઝામાં પણ દર્શનનો કાર્યક્રમ રાખ્યો છે.
ઊંઝામાં ઉમિયા ધામ ટ્રસ્ટના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરશે અને આગામી ચૂંટણીમાં સમર્થન માટે અપીલ કરશે. સાથે શંકરસિંહ રાજ્યભરમાં ભાજપ અને કોંગ્રેસની વિરુદ્ધમાં પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહે જન વિકલ્પ મોરચાને સમર્થન આપ્યું છે.
હવે જોવાનું રહેશે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જન વિકલ્પ મોરચો કેટલો સફળ રહે છે. તથા બાપુ કેટલી બેઠક પર પોતાના ઉમેદવારને જીતાડી શકે છે અથવા તો ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠક પર નુકસાન પહોંચાડી શકે છે.