ભાવનગર: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા છે. ભાવનગરની મુલાકાતે આવેલા શક્તિસિંહ જણાવ્યું કે વિકાસ ઉડીને આંખે વળગે તેવો હોવો જોઈએ. ખાલી વાતો કરીને તાયફા કરનારો નહીં. સાથે રોરો ફેરી બોટને બદલે સરકાર પેસેન્જર ફેરી બોટ શરૂ કરવા જઈ રહી છે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ આજે વિવિધ પરીક્ષામાં પાસ થયેલા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યોજિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.