રાજકોટઃ આગામી 25 ૨૬ ૨૭ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતને લઇને નીલસીટી ખાતે પત્રકાર પરિષદ યોજાયી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે આગામી તારીખ 25ના રોજ રાહુલ ગાંધી દ્વારકા મંદિરના દર્શન કરી નવસર્જન યાત્રાની શરૂઆત કરશે. રાહુલ ગાંધીની આ ત્રણ દિવસની યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ તેમનું સ્વાગત થશે. તેમજ તેઓ વિવિધ સ્થળોએ લોકોને મળશે.
૨૬મીએ રાહુલ ગાંધી રાજકોટ આવશે. હેમુ ગઢવી હોલ ખાતે વેપારીઓ ઉદ્યોગકારો સહીતના આગેવાનો સાથે કરશે બેઠક. ૨૭મીએ ખોડલધામ મંદિર ચોટીલા મંદિરએ દર્શને જશે. જ્યાં રસ્તાઓમાં વિવિધ લોકો સાથે મુલાકાત કરશે. ૨૫મીએ જામનગરમાં ૨૬ મીએ રાજકોટમાં તેમનું રાત્રી રોકાણ કરશે. આ યાત્રાને લઇ કોંગ્રેસ દ્વારા કમર કસવામાં આવી છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ગુજરાતમાં વિકાસ ગાંડો થયો તેવુ લોકોએ સ્વીકાર્યું છે ચૂંટણી વખતે વડાપ્રધાનને બે-બે વખત ગુજરાતમાં આવવું પડે છે એટલી નબળી નેતાગીરી ભાજપની છે. પ્રજા બેરોજગારી ખરાબ રસ્તા જીએસટીને લઈને વેપારીઓ ખૂબ મુશ્કેલીમાં છે શંકરસિંહ વાઘેલા બાબતે પણ તેમને જણાવ્યું કે થર્ડ ફ્રન્ટથી કોંગ્રેસને કોઈ જ નુકશાન નહિ થાય.
તો બીજી તરફ ભાજપના અરુણ જેટલી અને ધર્મેન્દ્રપ્રધાનના ટેક્સ તો ભરવો જ પડશે એ નિવેદન પર શક્તિસિંહ એ પ્રતિક્રિયા આપી હતી. અને જણાવ્યું કે ભાજપના નેતાઓના આવા નિવેદનથી જ લોકો કહે છે આ તો ખોટું થયું વિકાસને મત આપી પછતાયા.
તેમને વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા પ્રજાના પૈસે નથી થતી જ્યારે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે વિદેશ યાત્રા કરે છે.