વર્ષ 2000માં દેવદાસમાં સંજય લીલા ભણસાલી અને શાહરુખ ખાને સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ આ બંને સાથે કામ કરવા માંગે છે પરંતુ આવું થવામાં લાંબો સમય લાગી શકે છે. હાલમાં સાંભળવા મળ્યું છે કે શાહરૂખે ભણસાલીએ ઓફર કરેલી બે ફિલ્મોને ના પાડી દીધી છે.
ગત વર્ષે સંજય લીલા ભણસાલી અને શાહરૂખે ઘણી બેઠકો યોજી હતી પરંતુ દરેક વખતે શાહરુખે ખુબ વિનમ્રતાથી ના પાડી હતી. અહેવાલો અનુસાર SRK તાજેતરમાં ફિલ્મ 'Padmavat' માં અલાઉદ્દીન ખિલજીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. આ પાત્ર અંગેના વિવાદને સમજીને શાહરૂખ ખાને ભૂમિકા ભજવવાનો ઇનકાર કર્યો હતો. કિંગ ખાનને રતન સિંઘની ભૂમિકા પણ ઓફર કરવામાં આવી હતી પરંતુ શાહરૂખે આ ર્કિદાર નિભાવવાની ના પાડી હતી.
જો કે ફિલ્મો કરી ન હોવા છતાં આ બંનેમાં કોઈ પ્રકારની અણબણ નથી અને બંને આજે પણ સારા મિત્રો છે. આ દિવસોમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ ઝીરોની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે. આ ફિલ્મમાં શાહરૂખ એક દ્વાર્ફની ભુમીકામાં જોવા મળશે. આનંદ એલ. રાય આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ટ્રેલર આવવાનું હજુ બાકી છે. 2018માં રજૂ કરવામાં આવનારી શાહરૂખ ખાનની આ પ્રથમ ફિલ્મ હશે.