મુંબઇ:બોલિવુડના અભિનેતા શાહરૂખ ખાન મુશ્કેલીમાં વધારો થયો છે.IT વિભાગ દ્વારા નકલી કંપની બનાવીને જમીન હડપવાનો આરોપ અને ખેતીની જમીન પર અવૈધ રીતે બંગલો બનાવ્યાના આરોપથી ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યુ છે.શાહરૂખ ખાનનું અલીબાગમાં આવેલુ ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યું છે.
ત્યારે હવે IT વિભાગે ફાર્મ હાઉસ સીલ કરીને 90 દિવસ સુધીમાં જવાબ માંગ્યો છે.ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બરમાં PBPT અંતર્ગત પ્રોપર્ટી ટ્રાન્જેક્શન એક્ટનાં ઉલ્લંઘન મામલે IT વિભાગ દ્વારા શાહરૂખ ખાનને નોટિસ પાઠવવામાં આવી હતી.
પરંતુ શાહરૂખ ખાને આ નોટિસનો જવાબ આપ્યો ન હતો.ત્યારે હવે ITના અધિકારીઓએ શાહરૂખ ખાનના ફાર્મ હાઉસનને સીલ કર્યુ છે.આગામી 90 દિવસમાં શાહરૂખ ખાન પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.આ સમયગાળા દરમિયાન શાહરૂખ ખાન નોટિસનો જવાબ નહિ આપે તો IT વિભાગ વધુ કાર્યવાહી હાથ ધરી શકે છે.