મોહાલીઃ પંજાબના મોહાલીમાં વરિષ્ઠ પત્રકાર કેજે સિંહ અને તેમની માતા ગુરૂચરન કૌરની હત્યા કરી દેવાઇ છે. બન્નેના મૃતદેહ તેમના ઘર મોહાલી સ્થિત ફેજ-3 બી-2થી મળી આવ્યા છે. પોલીસ તપાસ શરૂ કરી દેવાય છે.
હાલમાં પત્રકારો પર સતત હુમલાઓ વધી રહ્યા છે અને તેમની હત્યાઓ કરી દેવામાં આવે છે. કન્નડ ભાષાની પત્રકાર ગૌરી લંકેશની બેંગાલુરૂમાં હત્યા કરી દેવાય ત્યારબાદ ત્રિપુરામાં શાંતનું ભૌમિકનું રિપોર્ટિંગ દરમિયાન અપહરણ કરી હત્યા કરી દેવાઇ હતી. હવે આજે કેજે સિંહની હત્યાના સમાચાર મળી રહ્યા છે.