અમદાવાદ:ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકારને ચેતવણી આપી હતી કે તેઓ સ્વ.ભાનુભાઈ વણકરની તમામ માગણીઓ સ્વિકારે.આ ઉપરાંત તેણે સરકારને સાંજના 7 વાગ્યાનો સમય આપ્યો હતો.જો કે એસ.જી.હાઈવે પર ચકકાજામની ચીમકી આપી હતી અને તેણે ચક્કાજામ પણ કર્યો હતો.
જો કે સરકારે તમામ માંગણીઓનો સ્વીકાર કરતા ચક્કાજામ દૂર કરાયો હતો.મેવાણીએ મહેસૂલ મંત્રી કોશિક પટેલના કાર્યક્રમને લઈને ધમકી આપી હતી.જો કે સરકારે માગ સ્વીકારી લેતા હવે કોઈ વિખવાદ ન થાય તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે પાટણના એક દલિત અગ્રણીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેમને સારવારઅર્થે અપોલો હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા જ્યાં ગત મોડી રાતે તેમનું સારવાર દરમ્યાન અવસાન થતાં પરિવાર સહિત દલિત સમાજમાં ચકરાર મચી જવા પામી હતી.
દલિત આગેવાના મૃત્યુ બાદ રાજ્યમાં આજે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સમાજના અન્ય લોકો દ્વારા ઠેર-ઠેર દેખાવો યોજવામાં આવ્યા હતા અને ચક્કાજામ પણ કરવામાં આવ્યા હતા.ત્યારે અંતે ગુજરાત સરકાર દ્વારા મૃતકના પરિવારને તમામ પ્રકારની મદદ કરવાની વાત કરી હતી.