નવી દિલ્હીઃ મંગળવાર બાદ આજે પણ દિલ્લીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી શકે છે. આ બેઠકમાં કોંગ્રેસ અને PAAS વચ્ચે ઉમેદવારોને લઇને થયેલા વિવાદ તેમજ NCP સાથે બેઠકની સમજૂતિમાં પડેલા ભંગાણનો ઉકેલ લાવવા બેઠકમાં ચર્ચા થઇ શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષાના સલાહકાર અહેમદ પટેલના નિવાસ સ્થાને આ બેઠક યોજાઇ હતી. આ બેઠક આજે પણ મળે તેવી શકયતા છે. જેમાં ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાના 93 ઉમેદવારોની આખરી પસંદગી પહેલા સંભવિત ફેરફારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં NCP સાથે સમજૂતિ થશે તો ગોંડલ કુતિયાણાના કોંગ્રેસના ઉમેદવારો પરત ખેંચાશે. કોંગ્રેસમાં ઉમેદવારોને લઇને શરૂ થયેલી ખેંચતાણ અને મુંઝવણને દુર કરવા પ્રદેશ પ્રમુખ ભરતસિંહને દિલ્લી બોલાવાયા છે. આજે પણ આ બેઠક મળે તેવી શકયતા છે.