શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય મહિલાઓ બંગડીઓ કેમ પહેરે છે? સિંદૂર કેમ લગાડે છે? નમસ્તે કરવાના શું ફાયદા છે? અહીંયા અમે તમને એવી પાંચ ભારતીય પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક કારણ જણાવીએ છીએ.
1. બંગડીઓ પહેરવાથી બને છે ઊર્જા
ભારતમાં બંગડીઓ સુહાગનની સૌથી મોટી નિશાની છે. લગ્ન બાદ મહિલાઓના હાથ બંગડીઓથી ભરેલા હોય છે. આ બંગડીઓ માત્ર હાથની સુંદરતા જ નથી વધારતી પરંતુ બંગડીઓ પહેરવાથી મહિલાઓના શરીરમાં લોહીનો પ્રવાહ સારો રહે છે. હાથની ચામડી સાથે બંગડીઓ અથડાવાથી ઊર્જા પેદા થાય છે એ શરીરમાં કામ આવે છે.
2. સિંદૂરથી ઘટે છે તણાવ
લગ્ન કરેલ મહિલાઓને ઓળખથી જોડાયેલ સિંદૂર પણ ખૂબ જ કામનું છે. એને બનાવવામાં હળદર લીંબુ ઉપરાંત પારાનો ઉપયોગ થાય છે. પારો સ્ટ્રેસ અથવા તણાવને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં એનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
3. પગે લાગવાના ફાયદા
દેશમાં વૃદ્ધોના આશીર્વાદ લેવા વર્ષો જૂની પરંપરા છે. આજે પણ આશીર્વાદ લેવા લોકો વૃદ્ધોને પગે લાગે છે. ત્યાર બાદ જ્યારે વૃદ્ધ યુવાઓના માથા પર હાથ મૂકે છે તો એનાથી ઊર્જા એક શરીરથી બીજા શરીરમાં પહોંચે છે જે આત્મવિશ્વાસ વધારવા સાથે સાહસ પણ વધારે છે. આ એક બાજુ રક્ષા કવચ તરીકે પણ કામ કરે છે.
4. ખૂબ જ કામનું છે નમસ્તે કરવું
જ્યારે આપણે હાથ જોડીને નમસ્તે કરીએ છીએ તો માત્ર એમનું સમ્માન નથી કરતાં વિજ્ઞાનનું માનીએ તો એનાથી તમારા શરીરને પણ ફાયદો મળે છે. હાથને જોડવાને કારણે આંગળીને એ જરૂરી પ્રેશર પોઇન્ટ્સ પર દબાણ બને છે જે આંખો કાન અને મગજને તંદુરસ્ત રાખવામાં કામ આવે છે.
5. પગમાં વેઢ પહેરવાના પણ આ ફાયદા
વેઢ માત્ર પગની સુંદરતા નથી વધારતી પરંતુ સાથે સાથે એના ફાયદા પણ છે. વિજ્ઞાનનું માનીએ તો પગની આંગળીઓમાં વેઢ પહેરવાના કારણે મહિલાનું ગર્ભાશય મજબૂત થાય છે. કારણ કે વેઢના કારણે ગર્ભાશય તરફ લોહીનું સંચાર સારું થાય છે જે મહિલાઓને માસિક ધર્મ બરોબરા રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત પગમાં પહેરેલી ચાંદીની વેઢ ધરતીથી ઊર્જા લઇને શરીર સુધી પહોંચાડે છે એનાથી મહિલાઓ પોતાના કામ કરવામાં જરૂરી ઊર્જા મળે છે.