ભારતીય સ્ટેટ બેંકે નવા વર્ષ પર પોતાના ગ્રાહકોને ખાસ ભેટ આપી છે. SBI એ વ્યાજ દરમાં 0.30% નો ઘટાડો કર્યો છે. બેંકની તરફથી થયેલા આ ઘટડાનો ફાયદો સીધો સામાન્ય માણસને મળશે. SBI એ બેસ રેટ પર આધારિત વ્યાજ દરોમાં 1 જાન્યુઆરી 2018થી ઘટાડો કરી દીધો છે. બેંકના બેંચમાર્ક પ્રાઇલ લેન્ડિંગ રેટ એટલે કે BPLR પર આધારિત લોન પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.
આ ઘટડા પછી તે લોકોને ફાયદો મળશેજેને BPLRના આધાર પર લોન લીધી છે. આ લોકોની EMI રકમ હવે ઘટી જશે.SBI પહેલા જ્યાં 13.70% BPLR વસૂલે છેહવે બેંક તેને 13.40% કરી દીધો છે. બેંકે બેસ રેટમાં પણ 0.30% સુધીની ઘટાડો કર્યો છે.
આ ઘટાડા પછી SBIને બેસ રેટ ઘટીને 8.65% પર આવી ગયો છે. આ પહેલા તે 8.95% હતો. આ બદલાવો વચ્ચે બેંકે MCLRમાં કોઇ બદલાવ કર્યો નથી. SBI હોમ લોન અને કાર લોન બેસ રેટ પર આધાર રાખીને આપી છેએવામાં બેસ રેટ ઘટવાનો સીધો ફાયદો તમારા EMIમાં બચત તરીકે થશે. નવા ગ્રાહકો માટે હોમ અને કાર લોન પણ સસ્તી થઇ જશે.
SBI પહેલા પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને FD ના વ્યાજ દરોમાં વધારો કરીને નવા વર્ષની ભેટ આપી હતી. PNB એ અલગ-અલગ મેચ્યોરિટીની 10 કરોડ રૂપિયા સુધીની ડિપોઝિટ પર વ્યાજ દરો વધાર્યા છે. આ વ્યાજ દરોમાં 1.25% સુધીનો વધારો કરવામાં આવ્યો છે.