આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે. સરદાર પટેલ ભૌગલિક સ્વરૂપના નિર્માતા તરીકે પણ જાણવામાં આવે છે. . સરદાર પટેલે આઝાદ ભારત માટે અને આઝાદી પહેલા પણ ઘણાં પ્રશંસનીય કામ કર્યા છે. આજે તેમની પુણ્યતિથિ પર તેમના યોગદાન વિષે જાણીએ જે ભારત હંમેશા યાદ રાખશે..
સરદાર પટેલને બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેનારી મહિલાઓએ 'સરદાર'ની ઉપાધિ આપી હતી. તેમને જન્મ 1875માં 31 ઓક્ટોબરના દિવસે થયો હતો અને 15 ડિસેમ્બર 1950માં તેઓ મૃત્યુ પામ્યા હતા.
સરદાર પટેલને 500 હૂકમતોને ભારતમાં જોડવાનો શ્રેય સરદાર પટેલને જાય છે. તેમણે જ ગુજરાતના ખેડૂતોને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યૂનિયન બનાવવા માટે પ્રેર્યા હતા જે પછીથી અમૂલ બની. દેશના પહેલા ગૃહ મંત્રી અને ઉપ-પ્રધાનમંત્રી સરદાર પટેલને IAS IPS અને કેન્દ્રીય સેવાઓના જનક કહેવામાં આવે છે.
સરદાર પટેલ પોતાના શરૂઆતી દિવસોમાં એક વકીલ હતા. તે ગાંધીજીથી ખૂબ જ પ્રભાવિત હતા. વર્ષ 1971માં ગાંધીજીથી પ્રભાવિત થઇને તમને આઝાદી આંદોલનની તરફ વળ્યાં. 1917-1925 સુધી સરદાર પટેલએ અહમદનગરના પહેલા ભારતીય નિગમ આયુક્તના રૂપથી સેવા આપી અને 1924-1928 સુધી તેમણે નિર્વાચિન નગરપાલિકાના અધ્યક્ષ પણ રહ્યા હતા.આઝાદીની લડાઈ દરમિયાન તેમણે ગાંધીજીના નેતૃત્વમાં ભારતમાં કરવામાં આવેલા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહને આગળ વધાર્યો હતો. આ સાથે જ તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ પણ કર્યુ હતુ.
સંવિધાનના નિર્માણમાં પણ તેમનું મોટું યોગદાન હતુ. મૂળભૂત અધિકારો પર બનેલી સમીતિના તે અધ્યક્ષ હતા. તેમણે અધિકારોને બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ આપ્યો હતો. વર્ષ 1946માં આઝાદી પહેલા નક્કી થઇ ચૂક્યું હતુ કે કોંગ્રેસના અધ્યક્ષ જ દેશના પ્રધાનમંત્રી હશે તે સમયે કોંગ્રેસની કમાન મૌલાના આઝાદ પાસે હતી પરંતુ મહાત્મા ગાંધીએ તેમણે ઇન્કાર કરીને પ્રધાનમંત્રી માટે નેહરુને સમર્થન કર્યુ.
નહેરુને ગાંધીનું સમર્થન હોવા છતા દેશનું સમર્થન નહોતુ મળ્યુ. 15માંથી 12 રાજ્યોએ સરદાર પટેલનું સમર્થન કર્યુ હતું. આ સમયે ગાંધીજીને લાગ્યું કે જો કોંગ્રેસ તુટી જશે તો અંગ્રેજોને વધુ એક બહાનુ મળી જશે. સરદાર પટેલે ગાંધીજીના સન્માનમાં પોતાનું નામાંકન પાછુ લઈ લીધુ હતુ.
સરદાર વલ્લભભાઇ પટેલે 1950માં પ્રધાનમંત્રી નેહરુને પત્ર લખીને ચીનથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ તેઓ પંડિત નેહરૂ આ ખતરાને સમજી ન શક્યા. ભારતને વર્ષ 1962માં યુદ્ઘનો સામનો કરવો પડ્યો હતો.