તમામ વિવાદો પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' થિયેટર્સમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. ફિલ્મના મેકર્સ 'પદ્માવત'નું નવું પોસ્ટર રિલીઝ કરીને સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે તેમની ફિલ્મ 'પદ્માવત' 25 જાન્યુઆરીના દિવસે રિલીઝ થશે.
તમને જણાવી દઇએ કે 'પદ્માવત' પહેલી ભારતીય ફિલ્મ છે જે દુનિયાભરમાં IMAX 3D માં રિલીઝ થશે. આ મહિનાની શરૂઆતમાં જ સેન્સર બોર્ડે ફિલ્મ માટે ખાસ પેનલ લઇને 'પદ્માવત'નો રિવ્યૂ કરીને રિલીઝ કરવાની પરવાનગી આપી દીધી છે. જોકે સેન્સર બોર્ડ ફિલ્મના મેકર્સને 5 બદલાવ કરવા માટે કીધું છે.
ઉલ્લેખનીય છે કે પહેલા આ ફિલ્મ 1 ડિસેમ્બર 2017ના રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મને લઇને દેશભરમાં થયેલા વિવાદ પછી ફિલ્મની રિલીઝ ડેટ ટાળી દીધી હતી.
આ ફિલ્મમાં લીડ રોલમાં દીપિકા પાદુકોણ રણવીર સિંહ અને શાહિદ કપૂર જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ રાણી પદ્માવતીના કેરેક્ટરમાં જ્યારે રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી અને શાહિદ કપૂર રાજા રતન સિંહના કેરેક્ટરમાં જોવા મળશે.