બોલિવૂડ એક્ટર સલમાન ખાન ટૂંક સમયમાં જ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર સાયકલ ચલાવતો દેખાશે. ઈ-સાઈકલને લોકપ્રિય બનાવવાની સરકારની પહેલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સલમાન સ્વસ્થ લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપશે. ઈ-વ્હીકલ્સને પ્રમોટ કરનારા મોદી મંત્રિમંડળના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કેસરકાર સાઈકલિંગને પરિવહનના એક સ્વસ્થ વિકલ્પ રૂપે પ્રમોટ કરવા માગે છે.
એક નાની ઈલેક્ટ્રિક મોટરથી સજ્જ ઈ-સાઈકલનો ઉપયોગ સામાન્ય સાયકલની સરખામણીએ વધારે અંતર કાપવા માટે કરવામાં આવે છે. ગડકરીએ કહ્યું કે ''સલમાને આ મુદ્દે મારી સાથે ચર્ચા કરી. તે ઈ-સાઈકલના નિર્માણના પાસાઓ પર ધ્યાન આપી રહ્યો છે. આનાથી જનમાનસમાં મોટાપાયે જાગૃતતા પેદા થશે.''
સૂત્રોએ કહ્યું કે ''સલમાન ખાનનું બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન ઈ-સાઈકલ નિર્માતાઓ સાથે કૉન્ટ્રાક્ટ અંગે વાતચીત કરી રહ્યું છે.'' ગડકરીએ કહ્યું કે ''2થી 3 વર્ષ પહેલા જ્યારે તેમણે પર્યાવરણ અનુકૂળ બળતણ વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું ત્યારે લોકોએ હવે તેના લાભને અનુભવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કેઈ-વાહન શરૂ કરાવવા મારું સપનું છે.''
ગડકરીએ કહ્યું કે ''ભારતને પહેલા 14 લેનના દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પહેલા તબક્કામાં 2.5 પહોળો સાઈકલ ટ્રેક છે અને તેને ગમે ત્યારે શરૂ કરવામાં આવી શકે છે. લગભગ તમામ હાઈવે અને એક્સપ્રેસ-વે પર અલગ સાઈકલ ટ્રેક હશેજે લોકોને સાયકલ દ્વારા લાંબું અંતર કાપવા માટે પ્રેરિત કરશે. તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેમણે દેશવાસીઓને વધુને વધુ સાઈકલના ઉપયોગની અપીલ કરી છે.''