વડોદરા: અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો વડોદરામાં વાલ્મીકિ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વાલ્મીકિ સમાજ દ્વારા શહેરના રેસકોર્ષ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી બાઈક રેલી યોજવામાં આવી હતી.
અને અભિનાતા સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી વિરુદ્ધ એટ્રોસિટી કેસ દાખલ કરવાની માગ કરવામાં આવી હતી.
અને જો સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
મહત્વનું છે કેઅભિનેતા સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ એક કાર્યક્રમ દરમિયાન વાલ્મીકિ સમાજ મુદ્દે ટિપ્પણી કરી હતી.જેના કારણે વાલ્મીકિ સમાજની લાગણી દુભાઈ છે.જેનો દેશભરમાં અનેક જગ્યાઓ પર વિરોધ થઈ રહ્યો છે.
વડોદરામાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનશિલ્પા શેટ્ટીનો વિરોધ
વાલ્મિકી સમાજની લાગણી દુભાવવાના મામલે વિરોધ
વડોદરામાં વાલ્મિકી સમાજ દ્વારા બાઈક રેલી યોજી વિરોધ
રેસકોર્ષ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી યોજાઈ રેલી