બજેટ સત્ર પછી આ વખતે રાજ્ય સભામાં મોટો ફેરફાર થશે. રાજકારણમાં ઘણા મોટા ચહેરા નિવૃત્ત થવાના છે. બોલીવુડ અભિનેત્રી રેખાનું નામ સૌથી ચર્ચિત નામ છે. તેમણે 27મી એપ્રિલ 2012ના રોજ રાજ્યસભામાં એન્ટ્રી લીધી હતી અને સમગ્ર કાર્યકાળ દરમિયાન કોઈએ પ્રશ્નો પૂછ્યા નથી. સૌથી મોટી વાત તો એ છે કે એની હાજરી સરેરાશ 78% હોવી જોઈતી હતી પરંતુ માત્ર 5% જ છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ આ વખતે રાજ્ય સભામાંથી નિવૃત્ત થશે. સચિનને 27મી એપ્રિલ 2012 ના રોજ નામાંકિત કરવામાં આવ્યા હતા. છેલ્લા શિયાળા દરમિયાન થયેલા હંગામાના લીધે સચિન કંઈ બોલી નતા શક્યા. તેની હાજરી 8% હતી.
આ ઉપરાંત એસપી સાંસદના મંત્રી જયા બચ્ચન પણ આ વખતે નિવૃત્ત થશે. તેઓ 3 એપ્રિલ 2012ના રોજ રાજ્યસભામાં આવ્યા હતા. રાજકારણી વિવાદોમાં ભાગ લીધો છે સવાલો પૂછવામાં તેમનો રેકોર્ડ ખુબ સારો છે. તેમણે હાઉસમાં 77 ટકા હાજરી નોંધાવી છે.
તેલુગુ ફિલ્મ સ્ટાર ચિરંજીવી પણ આ વખતે રાજ્યસભામાંથી નિવૃત થશે. આ ઉપરાંત ભાજપના ભૂપેન્દ્ર યાદવ કોંગ્રેસના રેણુકા ચૌધરી અભિષેક મનુ સિંઘવી અને પ્રમોદ તિવારીને સભામાંથી નિવૃત થશે.
ભૂતપૂર્વ હોકી પ્લેયર દિલીપ તિરકી પણ આ વખતે નિવૃત્ત થાય છે. તે જ સમયે ભાજપના પુરૂષોત્તમ રૂપાલા અને વિનય કટિયારનો કાર્યાલય એપ્રિલમાં સમાપ્ત થશે.
એસપીના નરેશ અગ્રવાલ અને કોંગ્રેસના રાજીવ શુક્લા પણ તેમના કાર્યકાળનો અંત લાવશે. આ ઉપરાંત રાજ્યસભામાં અરુણ જેટલી જે.પી. નડ્ડા અને રવિ શંકર પ્રસાદ જેવા કેન્દ્રીય પ્રધાનો ફરી ચૂંટાઈને પાછું આવાનું રહેશે. 2 એપ્રિલ અને 26 એપ્રિલ વચ્ચે 52 સભ્યો નિવૃત્ત થશે. આ કિસ્સામાં રાજ્ય સભામાં માત્ર 23 મહિલા સભ્યો બચ્યા હશે. ભાજપના 17 સાંસદો આ વખતે નિવૃત્ત થશે. કોંગ્રેસના 11 સભ્યો અને એસપીના 6 સભ્યો નિવૃત્ત થશે.