બોલિવૂડ એકટ્રેસ ઇલિયાના ડિ ક્રુઝના બોલિવુડ કરીયરમાં સતત ઉતાર ચઢાવની સ્થિતીનો સામનો કરવો પડયો છે. જ્યારે હાલમાં ઇલિયાના ડિ ક્રુઝ એક ફેન દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણુંકથી નારાજ છે. ઇલિયાના હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘બાદશાહો’ના પ્રમોશનમા ખુબ વ્યસ્ત છે. તેણે સોશ્યિલ મીડિયા પર પોતાની સાથે ગેરવર્તન બદલ નારાજગી જાહેર કરતાં ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વિટ કરી હતી.
ટ્વિટ કરતા ઇલિયાનાએ કહ્યું કે તે એક પબ્લિક ફિગર છે અને તેને જાણ છે કે તે ગુમનામી અને એકલવાયી જિંદગી પસાર નહીં કરી શકે એથી કોઇ વ્યક્તિને અધિકાર નથી મળતો કે તે મારી સાથે ગેરવર્તન કરે. આખરે હું પણ એક સ્ત્રી છું.
તાજેતરમાં ઇલિયાના અનિલ કપૂર અર્જુન કપૂર અને આથિયા શેટ્ટી સાથે ‘મુબારકાં’માં નજરે પડી હતી. તેની આવનારી ફિલ્મ ‘બાદશાહો’માં તેની સાથે અજય દેવગન ઇમરાન હાશ્મી એશા ગુપ્તા વિદ્યુત જામવાલ અને સંજય મિશ્રા પણ જોવા મળશે. આ ફિલ્મ 1 સપ્ટેમ્બરે રીલિઝ થશે.
ઉલ્લેખનિય છે કે અગાઉ પણ અભિનેત્રી વિદ્યા બાલન અને સ્વરા ભાસ્કરે ભીડમાં ખોટી રીતે સ્પર્શ કરવાની ફરિયાદ કરીને નારાજગી જાહેર કરી હતી. વિદ્યાએ ત્યારે જણાવ્યું હતું કે એકવાર એરપોર્ટ પર એક ફેને તેની નજીક આવીને હાથ પકડવાની અને કમરમાં હાથ નાખવાની કોશિશ કરી હતી. આ જ રીતે સ્વરા ભાસ્કરે પણ છેડછાડની ફરિયાદ કરી હતી.