વડનગરમાં EVM મશીનમાં છબરડાં અંગે રજૂઆત કરવા ગયેલા ટોળાએ વડનગર મામલતદાર કચેરીમાં તોડફોડ કરી હતી.જે અંગે વડનગર મામલતદારે 6 શખસો સહિત 300 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે વડનગર નગરપાલિકાના ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ અને અપક્ષોની હાર થતાં કોંગ્રેસ અને અપક્ષોએ EVM મશીનમાં ગરબડીની શંકા વ્યક્ત કર હતી અને આ અંગે તપાસ કરવા વડનગર મામલતદારને આવેદન પત્ર આપવા ગયા હતા જ્યાં બેકાબૂ ટોળાએ કચેરીમાં તોડફોડ કર હતી.
આપને જણાવી દઇએ કે આજરોજ ગુજરાતની 75 નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું જેમાં 47 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો અને 16 બેઠક પર કોંગ્રેસે પોતાના હસ્તગત કરી હતી.