ભારત-શ્રીલંકા વચ્ચે ઇંદોરમાં રમાયેલી બીજી T-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે જીત મેળવી. આ પહેલા બેટિંગ કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને 261 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 172 રન પર ઑલઆઉટ થઇ ગઇ અને ટીમ ઇન્ડિયા 88 રનથી મેચ પર જીત મેળવીને અને 3 મેચની સીરિઝમાં 2-0થી આગળ છે.
મેચમાં હીરો રહેલા રોહિત શર્માની શાનદાર ઇનિંગ રમતા 43 બૉલમાં 118 રન કર્યા રોહિતે માત્ર 35 બૉલમાં સેન્ચુરી કરી અને T-20 ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સેન્ચુરી કરવાના મામલામાં ડેવિડ મિલરના રેકોર્ડની બરાબરી કરી લીધી. મેચની 12મી ઑવરમાં જ્યારે રોહિત આઉટ થયો ત્યારે પવેલિયનની તરફ એક ઇશારો કર્યો જેનો મતલબ કંઇક ખાસ હતો.
વાસ્તવમાં આઉટ થયા પછી જ્યારે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મેદાનમાંથી બહાર આવી રહેલા રોહિતને પૂછ્યુ કે હવે ક્યાં પ્લેયરને બેટિંગ કરવા માટે મોકલવામાં આવે ત્યારે નીચે નમીને કીપિંગનો ઇશારો કર્યો. જેનો અર્થ સ્પષ્ટ છે કે ટીમના વિકેટ કિપર એમ.એસ.ધોનીને બેટિંગ કરવા માટે મોકલવામાં આવે અને ત્યારબાદ ગણતરીની સેકન્ડમાં ધોની મેદાન પર આવી ગયા.
કાયમ છે ધોની પર વિશ્વાસ:
ધોનીએ છેલ્લી ઑવરોમાં શાનાદર બેટિંગ કરીને 21 બૉલમાં 28 રન કર્યા. ધોની સિવાય કે.એલ.રાહુલે પણ શાનદાર બેટિંગ કરીને 89 રન કર્યા. બેટ્સમેન પછી ટીમ ઇન્ડિયાના બૉલરોએ પણ શાનદાર બૉલિંગ કરીને મેચ પોતાના નામે કરી દીધી.
રોહિતે બેટિંગના ઓર્ડરમાં ધોનીએ પ્રમોટ કરીને બતાવી દીધુ કે કોહલી હોય કે રોહિત ટીમના તમામ કેપ્ટનનો ધોની પરનો વિશ્વાસ કાયમ છે. સામાન્ય રીતે ધોની 4 નંબર પર બેટિંગ કરવા માટે આવે છે પરંતુ આ મેચમાં તેણે ત્રીજા ક્રમ પર બોલાવ્યો હતો. આ સાથએ ધોનીએ બેટિંગ સિવાય 2 સ્ટંપિંગ કરીને ટીમને જીત આપવામાં યોગદાન આપ્યુ.