સુરત કડોદરા હાઇવે પર આજે એક અકસ્માત યોજાય છે. સુરતના કુંભરીયા પાસે ધુમ્મસના કારણે ટ્રક પલટી જતાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
અકસ્માત થયેલી ટ્રકમાં અનાજ ભરેલું હતુ અને તેમાં 8 મજૂરો સવાર હતા જેમાં અકસ્માતમાં અનાજ ભરેલી ટ્રક પલટી જતાં 4 મજૂરોના દટાઇ ગયા અને તેમની મોત ઘટનાસ્થળે થઇ હતી જ્યારે બાકીના 4 મજૂરોને ગંભીર ઇજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળ પર ફાઇર ફાઇટરની ટીમ પહોંચી ગઇ હતી. આ અકસ્માત ભયંકર હોવાને કારણે રોડ પર જ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને વાહનવ્યવહાર પર પણ અસર થઇ હતી.