કચ્છઃ અંજારના ગુરુકુળ વિસ્તારમાં નગરપાલિકાના નીર્વૃત કર્મચારીની તેમના ઘરમાં હત્યા કરી દેવતા સમગ્ર વિસ્તામાં માં ચકચાર ફેલાઈ છે. ગત મોડી રાત્રે ગુરુકુળ-૧ વિસ્તારમાં વસવાટ કરતા ૬૦ વર્ષીય નિરંજનભાઈ લીલાધરભાઇ ચૌહાણ પોતાના ઘરે સુતા હતા. તે દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા સખ્શોએ તેમના ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે આવા ભરચક વિસ્તારમાં હત્યા થઇ જતા અને કોઈના કાનોકાન ખબર પણ ન પડતા આશ્ચર્ય સર્જાયું છે.
ઘટના ની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નિરંજનભાઈ ચૌહાણ બે માસ અગાઉ જ અંજાર નગરપાલિકા માંથી નિવૃત થયા હતા. એક માસ અગાઉ તેમને ૯ લાખ ૮૫ હાજર રૂપિયા સરકાર તરફ થી મળ્યા હતા. ગઈ કાલે ૧૧ લાખનો ચેક મળ્યો હતો. આ હત્યાને રૂપિયા લીધે તો અંજામ નથી આપવામાં આવ્યું તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમત શરુ કર્યો છે.