નવસારીઃ નગરપાલિકાઓની ચુંટણીના પરિણામો આવ્યા બાદ બહુમત મેળવેલ પાર્ટીઓમાં પાલિકા-પ્રમુખની મહત્વની જવાબદારી કોના શિરે મુકવીએ પ્રાણ-પ્રશ્ન બન્યો છે. નવસારીને અડીને આવેલ વિજલપોરપાલિકામાં પ્રમુખપદ માટે બક્ષીપંચની સીટને લઈને ભાજપ માટે માથાનો દુખાવો બનતા સંભવિતો દ્વારા લોબીન્ગો શરુ થઇ છે.
વિજલપોર પાલિકાના કુલ 9 વોર્ડ અને 36 સીટમાંથી ભાજપને 33 સીટ મળતા ભવ્ય વિજય થયો છે. કોંગ્રસના ભાગે ફક્ત 3 સીટ આવી છે. ભાજપે કોંગ્રસને પછાડીને વિજય મેળવ્યો છે.
હવે પોતાના જ પરિવારના સભ્યોમાંથી પ્રમુખપદની જવાબદારી કોને આપવી એ માટે ભાજપ સંગઠનમાં મીટીંગોના દોર શરૂ થયા છે. જેના પ્રબળ દાવેદારોમાં પ્રથમ યુવાન નેતા એવા જગદીશ મોદી બીજા નંબરે મુક્તિ ટંડેલ ત્યારબાદ સવિતા ચૌધરી અને મહેન્દ્ર ટંડેલ દાવેદારો તરીકે ઉભરી આવ્યા છે.
વિજલપોર બે વિભાગોમાં વહેંચાયેલું શેહેર છે. એક પૂર્વ અને પશ્ચિમ હાલની વાત કરીએ તો પૂર્વ વિભાગની નેતાગીરી સમગ્ર શેહેરનું સંચાલન કરી રહી છે. જયારે પક્ષિમ વિભાગમાં માત્ર 3 વોર્ડ આવેલા હોય જેના કારણે રાજકીય વજન વધારી શકાયું નથી. ત્યારે પ્રમુખના બે દાવેદારો પૂર્વ અને બે દાવેદારો પશ્વિમ તરફ રેહતા હોવાથી ભાજપ સંગઠન માટે કોને સત્તાનું સુકાન આપવું એ દુવિધાનો વિષય બન્યો છે.
પાલિકા-પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી જે નામ પર મોહર મારશે એ સર્વેને સ્વીકાર્ય તો ગણાશે. પ્રમુખપદ મેળવ્યા બાદ સંગઠનની દખલગીરીના કારણે વિજલપોર પાલિકામાં અનેક વિવાદો થઇ ચુક્યા છે.
રબર સ્ટેમ્પ તરીકેના પ્રમુખ પાલિકામાં વધુ ટકી શક્યા છે. જયારે સંગઠનની ઉપર વટ જઈને પ્રજાના હિત માટેના નિર્ણય કરનારા પ્રમુખો આજના દિવસે ભાજપાથી ખોવાયા છે. ત્યારે હાજી હા કરનારા પ્રમુખપદની ખુરશીને શોભાવશે એમાં બે મત નથી.