રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ કોમર્શિયલ બેન્કોના 26 ડિફોલ્ટરોની બીજી લિસ્ટ મોકલી છે. RBIએ બેન્કોને કહ્યું છે કે. આ તમામ ડિફોલ્ટરને નાદાર જાહેર કર્યા પહેલા તેમની પાસેથી દેવુ પરત લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. દેવુ પરત લેવા માટે RBIએ તમામ બેન્કોને 13 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. અને નાદાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા બેન્કોને 31 ડિસેમ્બર સુધી નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલમાં બેંકરપ્સી કાયદા હેઠળ કેસ દાખલ કરવા કહ્યું છે. RBIની બીજી લિસ્ટમાં સામેલ કંપની ખાસ કરીને પાવર ટેલિકમ્યૂનિકેશન સ્ટીલ અને ઇંફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાંથી છે. બેંકે પોતાની લિસ્ટમાં તે કંપનીઓને સામેલ કરી છે. જેના પર 30 જૂન સુધી કોઇપણ બેન્કનું દેવુ 60 ટકા બાકી છે. આ લિસ્ટમાં વીડિયોકોન ઇંડસ્ટ્રી અને જયપ્રકાશ એસોસિએટ એસ્સાર સ્ટીલ ભુષણ સ્ટીલ ABG શિપયાર્ડ પણ સામેલ છે.
મોટી કંપનીઓ પર પહેલા બેન્કો મહેરબાન થાય છે. અને પછી તેમને આપેલી લોનની રકમ બેન્કોને પર મળતી નથી. ત્યારે આવી બેંકો વિરૂદ્ધ કેટલાક સવાલો ઊભા થાય છે કે. કંપનીઓને લોન આપ્યા બાદ ક્યારે તેમની પાસેથી રકમ વસુલ કરવામાં આવશે. મોટી કંપનીઓના દેવા પર ક્યારે લગામ લગાવવામાં આવશે. દેવુ વધી ગયું હોવા છતાં શા માટે આપવામાં આવે છે તેમને લોન. સામાન્ય માનવી પાસેથી બેન્ક ઝડપી વસુલે છે લોન. ત્યારે મોટી કંપનીઓ વિરૂદ્ધ શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર નાદારી જાહેર કરી દેવાથી દેવુ માફ થઇ જશે. ખોટમાં જતી કંપનીઓને શા માટે આપવામાં આવે છે લોન. સામાન્ય લોકોને લોન માટે મારવા પડે છે વલખા. અને મોટી કંપનીઓ પર શા માટે મહેરબાન રહે છે બેંક..