નોટબંધીને આજે એક વર્ષ થયું હાલની સરકાર તેને જરા જુદી રીતે ઉજવી રહી રહી છે જ્યારે વિરોધ પક્ષના મતે આ નિર્ણય એક ખોટી બાબત હતી. ગત વર્ષે આજની તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 500 અને 1000 ની નોટો બંધ થવાની જાહેરાત કરી હતી. આ નોટબંધીને ભારતના લોકોએ ખુબ વખાણી છે ત્યારે ભારતની રીઝર્વ બેંકે કેટલાક સુચનો જાહેર કર્યા છે જે ને જાણવા ખુબ જરૂરી છે. જો આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં નહીં આવે તો તમારી પાસે નોટ હશે તેમ છતાં એ કાગળનો કટકો બની જાય છે.
તાજેતરમાં RTI દ્વારા મળેલ એક માહિતી અનુસાર નોટ પર કોઇપણ લખાણ લખવુ ના જોઈએ. જેવી કે કોઇ ધાર્મિક બાબતો અને કોઇપણ પ્રકારના રાજનૈતિક બાબતો અથવા વ્યાવસાયીક બાબતો તથા કોઇપણ પ્રકારના આપત્તિજનક શબ્દો લખવા ના જોઈએ તેને ગેરમાન્ય માનવામાં આવશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.
જો કે તાજેતરમાં RBI એ જણાવેલ માહિતી અનુસાર નોટપર કોઇ રંગ લાગ્યો હોય બોલપેનની કે અન્ય શાહી પડી હોય તે ગેરમાન્ય નથી. પરંતુ જો કોઇપણ પ્રકારનું ધાર્મિક વિધાન રાજકીય બાબત કે પછી કોઇ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ લખેલ હશે તો તે નોટના 2009 ના નિયમ અનુસાર તે ગેરમાન્ય ઠરશે.