નવી દિલ્હી: આ વખતે ગણતંત્ર દિવસ સમારોહમાં એક નહીં પરંતુ દસ મુખ્ય અતિથિ હશે. 26 જાન્યુઆરીએ રાજપથ પર થનારી પરેડમાં આ વખત એશિયાન દેશોના દસ મોટા નેતા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
સૂત્રોનું માનીએ તો દક્ષિણ એશિયાના દેશો સાથે પોતાના સંબંધને મજબૂત કરવાના ઇરાદાથી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. માત્ર એશિયાના દેશોના નેતા મુખ્ય અતિથિ નહીં હોય પરંતુ ગણતંત્ર દિવસ સમારોહ પહેલા દિલ્હીમાં એશિયાના દેશોના કલાકાક દિવ્હીમાં થનારા રામાયણ ફેસ્ટિવલમાં પણ પ્રસ્તુતિ આપશે.
ગત મહિને જ પીએમ મોદીએ ફિલિપીન્સની રાજધાની મનીલામાં થયેસી ભારત અને એશિયાન દેશોની 15માં સંમેલનમાં આ દેશોના નેતાઓને ભારતના ગણતંત્ર દિવસમાં આવવાનું આમંત્રમ આપ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે 125 કરોડ ભારતીય એશિયાના દેશોના નેતાનું ગણતંત્ર દિવસ સમારોહમાં સ્વાગત કરવા માટે રાહ જોઇ રહ્યા છે.
બદલાયેલી રણનીતિના હેઠળ કેન્દ્ર સરકાર એશિયાના દેશો સાથે આતંકવાદ હિંસા સામે લડવા સાથે ઊભા રહીને કામ કરી રહી છે.
એમાં બ્રુનઇ ઇન્ડોનેશિયા લાઓસ મલેશિયા સિંગાપુર થાઇલેન્ડ વિયતનામ ફિલીપીન્સ કંબોડિયા અને મ્યાનમારનો સમાવેશ થાય છે.