2017 ની વિદાય આપવા અને 2018 ના વધામણા કરવા આખું વિશ્વ તૈયાર થયું છે ત્યારે નવા વર્ષમાં પરિવારમાં ખુબ સુખ- શાંતિ બની રહે અને કોઇ બાબતો અડચણ રૂપ ના બને તે માટે વાસ્તુ ટિપ્સ આપવામાં આવેલ છે.
આ વાસ્તુ ટિપ્સમાં જણાવ્યા મુજબ ઘરમાં રહેલ કેટલોક સામાનને ઘરમાંથી કાઢી નાંખવામાં આવે તો આખુ વર્ષ મંગલમય રીતે પસાર થશે.
- વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ તુટેલો-ફુટેલો સામાન ઘરમાં હોય તો લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. એટાલે શક્ય હોય એટલો નકામો સામાન ઘરની બહાર ફેંકી દેવો જોઇએ.
- નવા વર્ષની શરૂઆત પહેલાં તુટલાં વાસણોને ઘરની બહાર કાઢી નાંખવા જોઇએ.
- તુટેલાં વાસણોમાં ખોરાક પીરસવાથી ગરીબી વધે છે.
- તુટેલા વાસણોને કારણે વાસ્તુ દોષ પણ ઉભો થાય છે.
- વાસ્તુ શાસ્ત્ર મુજબ તુટેલા કાચની ચીજવસ્તુઓ ઘરમાં રાખવાથી આર્થિક નુકસાન થાય છે.
- તુટેલો અરીસો ઘરમાં જો પડેલો હોય તો તેને તાત્કાલીક અસરથી ઘરમાંથી દુર કરી દેવો જોઇએ.
- ઘરમાં લગાડવામાં આવેલ ઘડિયાલ જો બંધ હાલતમાં હોય તો તેને તાત્કાલિક અસરથી ચાલું કરી દેવી જોઇએ અથવા તેને દિવાલ પરથી ઉતારી લેવી જોઇએ.
- ઘરનો પલંગ તુટેલી હાલતમાં હોય તો તેને રીપેરીંગ કરાવી લેવું જોઇએ. જો આ કામ ના કરવામાં આવે તો વૈવાહિક જીવનમાં તકલીફો આવી શકે છે.
- કોઇ પણ ખરાબ હાલતમાં રહેલ ઇલેક્ટ્રોનિક સામાન તુટેલી મુર્તિને ઘરમાંથી દુર કરવા જોઇએ. આવી વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે.